કુટુંબ, મિત્રો અને બાળકો પર કેન્સરની અસરો

Home > કુટુંબ, મિત્રો અને બાળકો પર કેન્સરની અસરો

કેન્સર જેવી ગંભીર બીમારી દામ્પત્ય જીવન, પારિવારિક જીવન અને મિત્રતાને અસર કરે છે. કેટલીકવાર બીમારી લોકોને નજીક લાવે છે; તો ક્યારેક તે અંતર વધારે છે. કુટુંબ પર કેન્સરની અસર કુટુંબનો કયો સભ્ય બીમાર છે, બાળકોની ઉંમર કેટલી છે, નાણાંકીય બાબતોની જવાબદારી, બાળકોની સંભાળ કોણ રાખે છે અને બીજી ઘણી બાબતો પર નિર્ભર છે.

કેન્સરની અસર નજીકના તથા દૂરના પરિવારના સદસ્યોને ભાવનાત્મક અસર કરે છે. કેન્સરગ્રસ્ત વ્યક્તિ અને પ્રિયજનો બંને એકબીજાને તેમની પોતાની ભાવનાઓથી સુરક્ષિત કરે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ વધારે નિખાલસતાથી તેઓ કઠિન મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે, તેમ કુટુંબના સભ્યો માટે એક બીજાને ટેકો આપવાનો અવકાશ વધે છે. જો કુટુંબના સભ્યો તમની વચ્ચે વસ્તુઓનું સંચાલન ના કરી શકે, તો તેઓને ફેમિલી થેરેપી અથવા કોઈ અન્ય તૃતીય પક્ષની સહાય લેવી જોઈએ.

બાળકોને કેન્સર વિશે કેવી રીતે કહેવું?

જો માતાપિતા ઉપરાંત, બાળકો પાસે અન્ય કોઈ પુખ્ત વયના વ્યક્તિ હોય જેમના પર તેઓ જરૂરિયાતના સમયે

આધાર રાખી શકે તો સારું. અન્ય પુખ્ત વયના લોકો જેમ કે ડે કેર સ્ટાફ અથવા શાળાના શિક્ષક, જેઓ બાળકની બીમારી સાથે સંલગ્ન છે તેમને પણ જાણ કરવી પણ મહત્વપૂર્ણ છે.

કોઈપણ યુવાન વયસ્કો માટે, કોઈ પ્રિય વ્યક્તિની માંદગી ખાસ કરીને મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે કૌટુંબિક સંકટ તેમના વિકાસમાં મોટો ફેરફાર લાવી શકે છે. તેઓ તેમના મૂલ્યો, રોગના વંશપરંપરા વિશેના પ્રશ્નો, મૃત્યુ, વગેરે વિશેના વિચારોથી વ્યસ્ત છે. માતાપિતાની માંદગી પ્રત્યે યુવાન વ્યક્તિની પ્રતિક્રિયાઓ ક્રોધ, શરમ, જેવી અલગ અલગ હોય શકે છે. જોકે, યુવાન વ્યક્તિ સાથે, બીમારી વિશે ખુલ્લેઆમ અને પ્રામાણિકપણે વાત કરવી મહત્વપૂર્ણ છે.

જો કોઈ બાળક બીમાર પડે

માતાપિતા માટે, બાળકને કેન્સર હોવાનું નિદાન થવુ એ ખરાબ અનુભવ છે. બીમારીને રોકવા માટે કંઇ કરી શકતા ના હોવા છતાં, તે ઘણીવાર અપરાધની લાગણીઓ અનુભવે છે.

માંદગી હોવા છતાં બાળકને શક્ય તેટલું સામાન્ય અને વૈવિધ્યસભર જીવન જીવવા માટે મદદ કરવાનો પ્રયાસ કરવો મહત્વપૂર્ણ છે.

મિત્રો

માંદગી દરમિયાન મિત્રો સહયોગ આપે છે.તેઓ તમને સકારાત્મક અને મજબૂત રહેવામાં મદદ કરી શકે છે. બીમાર વ્યક્તિ પોતાના મિત્રો સાથે પ્રામાણિકપણે વાત કરી શકે છે. કેટલાક કેન્સરના દર્દીને લાગે છે કે માંદગી દરમિયાન તેમના મિત્ર-વર્તુળ બદલાય છે.

વિવિધ કારણો જેવા કે : 

  • કેટલાક મિત્રો સંપર્કમાં રહેવાનું બંધ કરી શકે છે કારણ કે તેઓ જાણતા નથી કે કેન્સરગ્રસ્ત વ્યક્તિને તેઓએ શું કહેવું જોઈએ અને તેમનો સામનો કરવામાં અસમર્થ છે.
  • સંભવત: બીમાર વ્યક્તિ ચિંતાને લીધે સામાજિક રીતે પીછેહટ કરી શકે છે. 
  • શારીરિક પરિબળો જેવા કે માંદગી અને તેની સારવાર દર્દીઓના સામાન્ય જીવનમાં પણ અસર કરી શકે છે.

ગંભીર બીમારી હોવાને કારણે જીવનના તમારા મૂલ્યો અને દૃષ્ટિકોણ બદલી શકે છે, અને તેથી તમારી મિત્રતા પણ બદલાઈ શકે છે.