


કોઈપણ ગંભીર બીમારી માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. દર્દીઓ, સંભાળ આપનારાઓ અને તેમના પ્રિયજનો માટે કેન્સરમાંથી પસાર થવું વિનાશક અનુભવ હોઈ શકે છે. કૅન્સરનું નિદાન થવું, સારવારની પ્રક્રિયામાંથી પસાર થવું, મર્યાદાઓ સાથે જીવવાનું શીખવું તથા સારવારની આડઅસર ઘણા દર્દીઓમાં હતાશા પેદા કરી શકે છે. માનસિક આરોગ્યની સંભાળ એ સારવારની પ્રક્રિયાનો નિર્ણાયક ભાગ છે, અને તે સારવારના પરિણામને પણ અસર કરી શકે છે.
માંદગી દ્વારા સર્જાયેલી કટોકટીની લાગણીઓ આ પ્રક્રિયાનો એક અભિન્ન અને કુદરતી ભાગ છે.દરેક વ્યક્તિ તેમની લાગણીઓ સાથે તેમની રીતે વ્યવહાર કરે છે. કેન્સર ઘણી જુદી જુદી લાગણીઓ લાવે છે.તમારો સ્વભાવ મોટા પ્રમાણમાં બદલાઈ શકે છે.સૌથી સામાન્ય લાગણી અસ્વીકાર, ક્રોધ, ભય, ચિંતા, ઉદાસી, હતાશા, દોષ અને એકલતા છે. લાગણીનો સામનો કરવો અને તેની સાથે વ્યવહાર કરવો એ સૌથી મહત્વપૂર્ણ છે.તમારી લાગણીઓને દબાવશો નહીં, પરંતુ હિંમતથી તેમનો સામનો કરો અને તેમને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો.તે પછી જ તમારી માનસિક સ્થિતિ યોગ્ય રીતે શરૂ થઈ શકે છે.
દરેક વ્યક્તિ તેમની લાગણીઓ સાથે તેમની રીતે વ્યવહાર કરે છે. કેટલાક પ્રવૃત્તિમય રહીને, અન્ય લોકો સાથે વાત કરીને તથા શ્રેષ્ઠ વિચારો દ્વારા લાગણીઓનું સંચાલન કરે છે.
મદદ માટે પૂછો
- કેન્સર ચિંતા અને હતાશા જેવી વિવિધ શક્તિશાળી માનસિક પ્રતિક્રિયાઓને ઉત્તેજીત કરી શકે છે.જો આવી લાગણીઓનો અનુભવ થતો હોય અને તમે તેને કાબુમાં કરવા અસમર્થ હો, તો વ્યાવસાયિક સહાય લેવી મહત્વપૂર્ણ છે.મોટે ભાગે, ડૉક્ટર સાથે તથા સંબંધીઓ અથવા મિત્રો સાથે ચર્ચા કરવી પર્યાપ્ત છે.
- તમારી પોતાની સુખાકારીની સંભાળ રાખવી એ તમને કેન્સર અને તેની સારવારનો વધુ સારી રીતે સામનો કરવામાં મદદ કરે છે.