સ્ક્રીનીંગ ટેસ્ટ અને વહેલું નિદાન

Home > સ્ક્રીનીંગ ટેસ્ટ અને વહેલું નિદાન

સ્ક્રીનીંગ ટેસ્ટ તંદુરસ્ત તથા કેન્સરના લક્ષણો વિનાના લોકોમાં કેન્સરની તપાસ  માટે કરવામાં આવે છે. સ્ક્રિનિંગ ટેસ્ટ કેન્સરને પ્રારંભિક તબક્કે, જ્યારે તેઓ વધુ સારવાર માટે યોગ્ય હોય ત્યારે પકડવા માટે રચાયેલ છે. સ્ક્રિનિંગ ટેસ્ટ અમુક કેન્સરનો મૃત્યુ દર ઘટાડવામાં સફળ થયા છે.

અસરકારક સ્ક્રીનીંગ ટેસ્ટ :

  • કૅન્સરને વહેલું શોધે છે
  • નિયમિત તપાસ કરાવતા લોકો કેન્સરથી મરી જાય તેની સંભાવના ઓછી કરે છે 
  • નુકસાન કરતાં વધુ ફાયદાકારક હોય 

કૅન્સરના મૃત્યુદરને ઘટાડતા કેટલાક સામાન્ય સ્ક્રીનીંગ ટેસ્ટ :

૧. મેમોગ્રાફી :

મેમોગ્રામ એ સ્તન કેન્સરને વહેલી તકે શોધવાની શ્રેષ્ઠ રીત છે, જેથી તેની સારવાર કરવી સરળ બને છે.
 

૨. પેપ સ્મીયર ટેસ્ટ :

પેપ ટેસ્ટ ગર્ભાશયના મુખમાં અસામાન્ય કોષો જે કેન્સરમાં પરિવર્તિત થઇ શકે છે તેને શોધી શકે છે. એચપીવી ટેસ્ટ વાયરસ (હ્યુમન પેપીલોમા વાઇરસ) ની શોધ કરે છે જે આ કોષમાં પરિવર્તન લાવી શકે છે. પેપ ટેસ્ટ ગર્ભાશયના મુખના કેન્સરને શરૂઆતના તબક્કામાં, જ્યારે ઇલાજ થવાની સંભાવના ઘણી વધારે હોય છે ત્યારે શોધી શકે છે.
 

૩. કોલોનોસ્કોપી :

આંતરડાના કેન્સર હંમેશા આંતરડા અથવા ગુદામાર્ગમાં પોલિપ્સ (અસામાન્ય કોષ વૃદ્ધિ) થી વિકસે છે. સ્ક્રીનીંગ ટેસ્ટ આવા પોલિપ્સ શોધી શકે છે, જેથી તેઓ કેન્સરમાં પરિવર્તિત થાય તે પહેલાં તેને દૂર કરી શકાય.
 

૪. લો ડોઝ સી.ટી.સ્કેન :

જે લોકો ધુમ્રપાન (બીડી/સિગારેટ) નો ઇતિહાસ ધરાવતા હોય અથવા અત્યારે ધુમ્રપાન કરતા હોય અથવા છેલ્લા ૧૫ વર્ષમાં ધુમ્રપાન કરવાનું બંધ કરી દીધું હોય અથવા ૫૫ થી ૮૦ વર્ષની વચ્ચે હોય તેમને ફેફસાના કૅન્સરની વહેલી તપાસ માટે લો ડોઝ સી.ટી. સ્કેન કરવાની ભલામણ કરવામાં આવે છે.
 

૫. પી.એસ.એ ટેસ્ટ :  

આ બ્લડ ટેસ્ટ ઘણીવાર ડિજિટલ રેક્ટલ એક્ષામીનેશન સાથે પ્રોસ્ટેટ કેન્સરની વહેલી તપાસ માટે કરવામાં આવે છે.